પંચમહાલના ઘોઘંબા GFL કંપનીમાં ગેસ લીકેઝનો મામલો કરોડો રૂપિયાની લેતીદેતી નો પૂર્વ કાયદામંત્રીનો ગંભીર આક્ષેપ
પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ઝેરી કેમિકલ ગેસ લીકેજનો મામલો
20 દિવસના સમયગાળા દરમિયાન બે વખત ગેસ લીકેજની ઘટના બની ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ પૂર્વ કાયદામંત્રીએ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે
અગાઉ 2021માં પણ GFL કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી જેમાં 7 લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેની એસ આઇ ટી બનાવવામાં આવી હતી તેનો રિપોર્ટ આજદિન સુધી આવ્યો નથી
પૂર્વ કાયદામંત્રીએ માંગણી કરી છે કે GFL કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવોજ જોઈએ અને જો માનવવધ નો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આમાં કરોડો રૂપિયાની લેતી દેતી થઈ છે તેવું મારું અને પ્રજાનું માનવાનું રહે છે અને ગરીબ માણસોને અન્યાય કરવામાં આવ્યો છે તેવા ગંભીર આક્ષેપો પૂર્વ કાયદામંત્રી એ લગાવ્યા છે