અમદાવાદ ઇન્દોર હાઈવેની સમસ્યાને લઈ રાજ્યસભા સાંસદની નવતર પહેલ કરી છે ડૉ.જસવંતસિંહ પરમારે સ્વખર્ચે ખાનગી સર્વે કરાવ્યો છે

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવેની સમસ્યા ને લય રાજ્ય સભા સાંસદની નવતર પહેલ



 પંચમહાલ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે નંબર-47ની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પછી રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે પોતાના ખર્ચે ખાનગી સર્વે કરાવ્યો છે. 


 અમદાવાદથી ઇન્દોર જતા નેશનલ હાઈવે નંબર-47ની હાલત જોઈને વાહનચાલકો ભય સાથે વાહન ચલાવી રહ્યા થઈ  છે. ખાસ કરીને કઠલાલ નજીકના પીઠાઈ ટોલનાકાથી ગોધરા વચ્ચેના પટ્ટામાં રોડ વારંવાર તૂટી જાય છે. ચોમાસા પછી મોટા-મોટા ખાડાઓને કારણે અહીં અકસ્માતોની ઘટનાઓ વધી છે. પરંતુ આ સમસ્યાના મૂળ કારણો શોધવા માટે રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે એક અનોખી પહેલ કરી છે. તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો  સર્વે કરાવ્યો છે. 


આ હાઈવે વારંવાર તૂટે છે અને દર વખતે માત્ર પેચવર્ક જ થાય છે. તેથી આ સર્વે કરીને મૂળ કારણો શોધ્યા છે. NHAIને આ રિપોર્ટ સોંપ્યો છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર મોકલ્યો છે. માત્ર થીગડાં મારવાને બદલે ગુણવત્તાયુક્ત નવીનીકરણ કરવું જોઈએ, જેથી રોડ લાંબા સમય સુધી ટકાઉ રહે.


આ સર્વે રિપોર્ટમાં રોડ તૂટવાના ચોક્કસ કારણો જેમ કે માટીની ગુણવત્તા, ડ્રેનેજ સિસ્ટમ અને બાંધકામની ખામીઓની વિગતો આપવામાં આવી છે. સાંસદે આ રિપોર્ટ ગાંધીનગરમાં NHAIના રિજિયોનલ મેનેજર ને સોંપ્યો હતો.


Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.