વડાપ્રધાન મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની પૂર્ણાહુતિ અને વિકાસ કાર્યક્રમોની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવશે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની પૂર્ણાહુતિ અને અનેકવિધ વિકાસ કાર્યક્રમોની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અને વિકાસ યોજનાઓની વિગતો જાહેર કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસેવાના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. આજે પંચમહાલના જિલ્લા કલેક્ટરએ મીડિયા સાથે વાતચીત કરીને જિલ્લામાં આયોજિત થનારા કાર્યક્રમોની વિગતો આપી હતી.