Posts

Showing posts from May, 2025

ગોધરા પોલીસ હેડ કોર્ટેર ખાતે સિવિલ ડિફેન્સની "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલનું આયોજન

Image
 ગોધરા પોલીસ હેડ કોર્ટેર ખાતે સિવિલ ડિફેન્સની "ઓપરેશન શિલ્ડ" મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો ઉદ્દેશ યુદ્ધ કે હવાઈ હુમલા જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો હતો.             આ મોકડ્રીલ દરમિયાન એર રેઈડ સાયરનનું પરીક્ષણ, બ્લેકઆઉટ પ્રક્રિયા, નાગરિકોની સ્થળાંતર યોજના અને કટોકટી પ્રતિસાદની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ ડ્રીલનો હેતુ દુશ્મનના હવાઈ હુમલા, ડ્રોન કે મિસાઈલ હુમલા જેવી પરિસ્થિતિઓમાં જનતાની સુરક્ષા અને સંકલનની ક્ષમતાને મજબૂત કરવાનો હતો.         આ ડ્રીલની શરૂઆત  જિલ્લાના કલેક્ટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ થઈ, જેમણે નાગરિકોને આ મોકડ્રીલમાં સહભાગી થવા અપીલ કરી હતી.                આ મોકડ્રીલનું આયોજન પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ વધતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ આ બીજી મોકડ્રીલ હતી,   આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ દેશની સુરક્ષા તંત્રને મ...

રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.

Image
 ગુજરાતના ગામડાઓમાં લોકશાહીનો મહાપર્વ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.     રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. આગામી 22 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે, જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીનું જાહેરનામું 2 જૂનના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન છે, અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન નિર્ધારિત કરવામાં આવી છે.          આ ચૂંટણીમાં મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થશે. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાશે, અને રાજ્ય ચૂંટણી આયોગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ ચૂંટણી ગામડાઓના વિકાસ અને સ્થાનિક સ્વરાજની મજબૂતી માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.      ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી લગભગ બે વર્ષથી બાકી હતી, જેના કારણે ગામોનો વહીવટ તલાટીઓ દ્વારા ચલાવવામાં આવતો હતો. આ ચૂંટણી ગામડાઓના વિકાસને નવી ગતિ આપશે અને સ્થાનિક નેતૃત્વને મજબૂત કરશે. રાજકીય પક્ષો આ ચૂંટણીને  મહત્વન...

પંચમહાલ SOG પોલીસ દ્વારા QRT અને BDDS ની ટીમને સાથે રાખી ચેકીંગ હાથ ધરાયું.

Image
 પંચમહાલ એસ ઓ જી પોલીસ દ્વારા જિલ્લાની ભીડભાડ વાળી જગ્યામાં ચેકીંગ હાથ ધરાયું ગોધરાના રેલવે સ્ટેશન,બસ સ્ટેશન પાવાગઢ ખાતે સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું  ગોધરા રેન્જ આઇ જી આર વી અસારી અને એસ પી હિમાંશુ સોલંકી દ્વારા પ્રવર્તમાન સંજોગોને ધ્યાને રાખીને સુરક્ષા અને સલામતી માટે જિલ્લામાં આવેલા મહત્વના સ્થળોએ અને ભીડભાડ વાળી જગ્યામાં સઘન ચેકીંગ હાથ ધરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી  જે અન્વયે પંચમહાલ એસ ઓ જી પોલીસ દ્વારા ક્યુ આર ટી અને બી ડી ડી એસ ની ટીમ સાથે રાખી આધુનિક સાધનો તથા સ્નિફર ડોગને સાથે રાખી ગોધરાના રેલવે સ્ટેશન,બસ સ્ટેશન અને પાવાગઢ માંચી તથા મંદિર પરિસરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

ગોધરામાં ઓપરેશન સિંદૂરને લઇને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Image
 ગોધરામાં ઓપરેશન સિંદૂરને લઇને  તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું  ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીયો તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું    જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતવાસીઓ અને તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.જેને લઇ ગોધરા ખાતે વિવિધ સંગઠનો દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું  યાત્રાની શરૂઆત એ પી એમ સી, ચાચર ચોક, વિશ્વ કર્માં ચોક, એલ આઇ સી રોડ, પટેલ વાડા ,સોનીવાડ બાવાની મઢી થઇ તળાવ ખાતે સમાપન થયું હતું. આ તિરંગા યાત્રામાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર ધારાસભ્યો, રેન્જ આઇ જી આર વી અસારી એસ પી હિમાંશુ સોલંકી સહીત ના અધિકારી પદાધિકારીઓ અને શહેરીજનો  મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ગોધરામાં જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને લઇ મિટિંગ યોજાઈ

Image
 ગોધરામાં જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં દેશની  પ્રવર્તમાન પરિસ્થિતિને લઇ મિટિંગ યોજાઈ  પોલીસ તાલીમ ભવન ખાતે જિલ્લાના સામાજિક આગેવાનો, વેપારીઓ તથા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી  આજ રોજ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં જિલ્લાના સામાજિક આગેવાનો, વેપારીઓ તથા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે એક મહત્વની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ આકસ્મિક સ્થિતિ ઉદભવે તો શું કાર્યવાહી કરવી તે બાબતે  સમાજ કરવામાં આવી હતી   સોશિયલ મીડિયા  દ્વારા ખોટા મેસેજ ન ફેલાવવા તેમજ કોઈ પણ શંકાસ્પદ હરકત જણાય તો સ્થાનિક પોલીસ તંત્ર ને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.  તેમજ હાલમાં જિલ્લા કલેકટર  તરફથી પ્રસિદ્ધ કરેલા Drone fly તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ બાબતે ચુસ્ત પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી

પંચમહાલ જિલ્લા પુરવઠા કચેરી ખાતે જિલ્લાના પેટ્રોલપંપ સંચાલકો સાથે બેઠક યોજાઇ

Image
 પંચમહાલ જિલ્લા પુરવઠા કચેરી ખાતે જિલ્લાના પેટ્રોલપંપ સંચાલકો સાથે બેઠક યોજાઇ  જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ  પેટ્રોલપંપ સંચાલકોને જરૂરી સૂચનો અપાયા .    પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલપંપના સંચાલકોની જિલ્લા પુરવઠા કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.                 આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીએ પટ્રોલપંપ સંચાલકોને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુ હેઠળની પેટ્રોલીય પેદાશોનો પુરતો જથ્થો જળવાઈ રહે તથા તેની સુરક્ષાને અનુલક્ષીને સરકારની જરૂરી સૂચનાઓનું પાલન કરવા તેમજ જિલ્લા સ્તરેથી પેટ્રોલ ડીઝલના ઉપલબ્ધ જથ્થાની સ્થિતિનું કાયમી મોનીટરીંગ કરવાની સુચના આપવામાં આવી છે.         બેઠકમાં ઉપસ્થિત તમામ પેટ્રોલપંપ સંચાલકો દ્વારા પેટ્રોલ ડીઝલનો જરૂરી જથ્થો જાળવી રાખવા, તેનું સતત નિરીક્ષણ કરવા અને સરકાર દ્વારા અપાતી તમામ સૂચનાઓનું પાલન કરવાની બાંહેધરી આપવામાં આવી છે.      ...

હજ યાત્રિકોને વિદાય આપવા માટે આવતા સગા સંબંધીઓની સંખ્યા મર્યાદિત રાખવા અપીલ

Image
 હજ યાત્રિકોને વિદાય આપવા માટે આવતા સગા સંબંધીઓની સંખ્યા મર્યાદિત રાખવા અપીલ  દરેક એરપોર્ટ હાઈ એલર્ટ પર હોય સુરક્ષાને ધ્યાને રાખી હાજી દીઠ ૪ થી ૫ લોકો વિદાય આપવા  આવે તેવી અપીલ કરવામાં આવી  ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદ તરફથી માહિતી આપવામાં આવી છે કે હજ 2025 માટે અમદાવાદ એરપોર્ટ થી જતા હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ યાત્રિકોના સંબંધીઓને નમ્ર વિનંતી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ દેશના દરેક એરપોર્ટ  હાઈ એલર્ટ પર રાખવામાં આવેલ છે જેથી તમામ હજ યાત્રિકો તથા તેમના સગા વ્હાલાઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે સુરક્ષાને ધ્યાને લઇને એરપોર્ટ પર પોતાની સાથે વિદાય આપવા આવતા સગા સંબંધીઓ હાજી દીઠ ફક્ત 4 થી 5 લોકોની સંખ્યામાં મર્યાદિત રાખે શક્ય હોય તેટલું ઓછા લોકોએ એરપોર્ટ સુધી હજ યાત્રિકોને વિદાય આપવા આવે ખાસ કરીને નાના બાળકો ને એરપોર્ટ સુધી ન લાવવા વિનંતી  છે તમામ યાત્રિકો તથા તેમના પરિવારજનોને સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે

તંત્ર એલર્ટ પર છે દરેક ટીમને એલર્ટ કરવામાં આવી છે પંચમહાલ કલેકટર

Image
 તંત્ર એલર્ટ પર છે દરેક ટીમને એલર્ટ કરવામાં આવી છે પંચમહાલ કલેકટર આશિષ કુમાર 

મહિલા રાયફલ દ્રિલ પ્રસ્તુતિ એ દર્શકોને રોમાંચિત કર્યા

Image
 

પંચામૃત ડેરીમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૨૮૫ કરોડના યુ.એચ.ટી. મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત

Image
 *ગ્રામ વિકાસ માટે સહકારિતા સૌથી અગત્યની પ્રવૃત્તિ છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*  પંચામૃત ડેરીમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૨૮૫ કરોડના યુ.એચ.ટી. મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત પંચામૃત ડેરીના નિયામક મંડળ સાથે બેઠક યોજતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વકક્ષાના પ્રોસેસિંગ પ્લાન્ટથી દૂધ ઉત્પાદકો તથા ખેડૂતોની આવકમાં થશે વધારો "ગૌ સોર્ટ" ટેકનોલોજી: આત્મનિર્ભર ભારત'ની દિશામાં પંચામૃત ડેરીની નવતર પહેલ ગુજરાતના ૬૫માં સ્થાપના દિવસે પંચમહાલ જિલ્લામાં ડેરી ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસનો શુભારંભ થયો છે. ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૫ રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., પંચામૃત ડેરી,ગોધરા ખાતે અંદાજિત રૂ.૨૮૫ કરોડના ખર્ચે યુ.એચ.ટી. મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું.  મુખ્યમંત્રીશ્રીએ પંચામૃત ડેરી ખાતેના કોર્પોરેટ બિલ્ડિંગમાં વિઝીટર ગેલેરીની મુલાકાત લઈ ગેલેરીમાં પ્રદર્શિત પંચામૃત ફ્રોઝન સિમેન સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ, ખાંડીયા કેટલફીડ પ્લાન્ટ, રીયરીંગ સેન્ટર ગમન, બારીયાના મુવાડા, અને માલેગાંવ પંચામૃત...

ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસના કામોની ધરી ભેટ

Image
 *ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૫ - રાજ્ય ઉત્સવ ગોધરા-પંચમહાલ* ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને  રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસના કામોની ધરી ભેટ  રાજ્યનો કોઇ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાન શ્રીના દિશાનિર્દેશમાં કરાયું છે * ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ બાદ થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનું અંતર આજે  સ્પષ્ટ જોઇ શકાય છે * ગરવા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વપૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સિમાચિન્હો સ્થાપિત કર્યા છે * વડાપ્રધાનશ્રીએ કંડારેલી વિકાસની કેડી ઉપર ગુજરાત આજે મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે -------- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાવનધરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને રૂ. ૬૪૪.૭૨ કરોડના વિકાસ કામોની ભેટ આપીને કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસના ૨૦૦૧ પહેલા અને તે પછીના એમ બે કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરી ભેદરેખા આલેખી હતી.  આ પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું હતુ કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીના ગ...