અમદાવાદ વિમાન દુર્ઘટના પૂર્વ CM વિજય રૂપાણી સહીત 200 થી વધુના મોત..

 .     અમદાવાદથી આવી રહેલા એક દુઃખદ અને ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેના કારણે શહેરમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં અનેક લોકોના જીવ ગયા હોવાની આશંકા છે. આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાનીનું દુઃખદ અવસાન થયું છે 

   


      આજે બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ  અમદાવાદથી લંડન  જઈ રહી હતી,જે ટેકઓફની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ.  જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાને ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામીનો સામનો કર્યો હતો, જેના કારણે તે નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એક રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું 



      ઘટના એટલી ભયાનક હતી કે આસપાસનો વિસ્તાર ધૂમાડાથી ઢંકાઈ ગયો હતો. વિમાનમાં સંપૂર્ણ ઇંધણ ભરેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ, જેના કારણે રહેણાંક ઇમારતોને પણ નુકસાન થયું છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ, 150થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ફાયર બ્રિગેડ, પોલીસ, NDRF, અને સ્થાનિક વહીવટ દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે, અને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે.



એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ, વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, અને 1 કેનેડિયન નાગરિક સવાર હતા. એવા અહેવાલો પણ છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. રાજ્ય સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે, જેના હેલ્પલાઇન નંબર 079-232-51900 અને 9978405304 છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવવા સૂચનાઓ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી, અને અસરગ્રસ્તોને તમામ સંભવ મદદ પૂરી પાડવા જણાવ્યું છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.