રાજ્યના 17 હજાર સસ્તા અનાજના સંચાલકોની 1 નવેમ્બરથી હડતાળ 72 લાખથી વધુ પરિવારોને થશે અસર...

 સસ્તા અનાજના દુકાનદારોએ કરી હડતાળની ઘોષણા પડતર માંગણીઓને લઈ હડતાલની જાહેરાત

ગુજરાતમાં રેશન વ્યવસ્થા પર મોટી અસર થવાની શક્યતા છે



રાજ્યભરના 17 હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારોએ 1 નવેમ્બરથી હડતાળ પર જવાની જાહેરાત કરી આ હડતાળથી લાખો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું રેશન મેળવવું મુશ્કેલ બની શકે છે.  

 ગુજરાત ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હૉલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે, સરકારે તેમની લાંબા સમયથી ચાલતી માંગો પર કોઈ ધ્યાન આપ્યું નથી. અમારી મુખ્ય ત્રણ માંગો છે એમાં મુખ્ય વિવાદ કમિશનની રકમ અને વિતરણના નિયમોને લઈને છે. આના વિરોધમાં 1 નવેમ્બરથી રેશનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેની અસર જાહેર વિતરણ વ્યવસ્થા પર પડશે અમે વર્ષોથી કમિશન અને નિયમો બદલવાની માંગ કરીએ છીએ, પણ સરકાર સાંભળતી નથી. 72 લાખથી વધુ પરિવારો રેશન પર આધાર રાખે છે, આ હડતાળથી તેમને મુશ્કેલી પડશે. જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારાય, અમે હડતાળ પર અડગ રહીશું

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.