પંચમહાલ જિલ્લામાં "બાળ વિવાહ મુક્તિ રથ" નું કલેક્ટર અજય દહિયાએ કરાવ્યું પ્રસ્થાન..
પંચમહાલ જિલ્લામાં ‘બાળ વિવાહ મુક્તિ રથ’નું કલેક્ટર અજય દહિયાએ કરાવ્યું પ્રસ્થાન
બાળ લગ્ન મુક્ત ભારત માટે એક સરાહનીય પહેલ
પંચમહાલ જિલ્લામાંથી બાળ લગ્નની કુપ્રથાને જડમૂળથી નાબૂદ કરવા અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે **‘બાળ વિવાહ મુક્તિ રથ’**નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય "આવો આપણે સૌ સાથે મળી બાળ વિવાહ મુક્ત ભારતની રચના કરીએ" ના સૂત્ર સાથે આ રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે. બાળ લગ્નના કાયદાકીય ગુના વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે.બાળકોના શિક્ષણ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવી.ગ્રામ્ય સ્તરે બાળ લગ્ન અટકાવવા માટે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે આ રથનું આયોજન કરવામાં આવ્યું છે