Posts

Showing posts from June, 2025

મોરવા હડફ તાલુકામાં નિમિષા બેન સુથારે 3.96 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું

Image
 મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે બે શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એક નવીન શાળાનું લોકાર્પણ કર્યું હતું   સુલિયાત અને નવાગામની શાળામાં 3.96  લાખ રૂપિયાના ખર્ચે નવીન ઓરડાનું નિર્માણ કરવામાં આવશે  .   પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય નિમિષાબેન સુથારે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે તાજેતરમાં બે શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે.            આજે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે એક નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી મોરવા હડફના ધારાસભ્ય  નિમિષાબેન સુથારે બે શાળાના ઓરડાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આમાં એક કાર્યક્રમ સુલિયાત પ્રાથમિક શાળાના નવીન ઓરડાના નિર્માણ માટે યોજાયો હતો, જ્યારે બીજા એક કાર્યક્રમમાં નવાગામ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો એક નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ   આ પ્રસંગે જિલ્લા  પંચાયતના સભ્ય  વિક્રમ ડિંડોર તાલુકા સભ્યો બંને ગામોના સરપંચ સહિત શિક્ષકો ગ્રામજનો...

નવી ઊંચાઈઓ સર કરતી ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી

Image
 નવી ઊંચાઈઓ સર કરતી ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિધાનસભાના ઉપાધ્યાક્ષ જેઠા ભરવાડના હસ્તે રૂ. ૬૫ કરોડથી  વધારેના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું       લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ આપ્યો હતો  . વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે ઉપસ્થિત રહીને રૂ. ૬૫ કરોડથી વધારેની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને સૌને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીને વિદ્યા અને વિકાસનું કેન્દ્ર ગણીને શાહે પંચમહાલના ઈતિહાસમાં આજના દિવસને મહત્વનો ગણાવ્યો હતો.  મહત્વનું છે કે, લોકાર્પિત થયેલા વિકાસ પ્રકલ્પોમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સ, રૂ. ૧૫ કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, રૂ. ૧૨ કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ, રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ...

અમદાવાદ રથયાત્રામાં હાથી ગાંડા થયા

Image
 અમદાવાદ રથયાત્રામાં હાથી ગાંડા થયા પછી જે થયું

ગોધરામાં ગુણવત્તાહીન રોડની ફરિયાદોને ધ્યાને લઈને પ્રાંત અધિકારીએ મહત્વનો આદેશ જારી કર્યો છે

Image
 ગોધરામાં ગુણવત્તાહીન રોડની ફરિયાદોને ધ્યાને લઈને પ્રાંત અધિકારીએ મહત્વનો આદેશ જારી કર્યો છે  ન્યૂશન ફેલાવવા અંગે કરાયેલ કેસની સુનાવણીના અંતે પ્રાંત અધિકારી એન બી મોદીએ મહત્વનો ચુકાદો આપ્યો છે          7 જેટલા ખરાબ ગુણવત્તાવાળા રોડને કોન્ટ્રાક્ટની શરતો મુજબ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. .     આ એક ખૂબ જ મહત્વનો નિર્ણય છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે રાહત લાવનારો છે.  શહેરમાં ગુણવત્તાહીન રોડની સમસ્યા લાંબા સમયથી ચર્ચામાં હતી.  રોડની ગુણવત્તા નબળી હોવાને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે.  લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ  દ્વારા જનહિતમાં શરૂ કરાયેલ લડતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે   આ ફરિયાદોને ગંભીરતાથી લઈને પ્રાંત અધિકારીએ  એક આદેશ જારી કર્યો છે, જેમાં સંબંધિત રોડનું નિરીક્ષણ કરીને તેની ગુણવત્તા ચકાસવા અને જરૂરી સુધારાઓ સાથે કોન્ટ્રાક્ટની શરતો મુજબ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે અપૂર્વા કંટ્રકશન,શોએબ વાય બક્કર અને એ.વાય.ફોદા ને સુપ્રત કરેલ...

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આગામી 28 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાજર રહેશે

Image
 ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આગામી 28 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાજર રહેશે  વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કરવામાં આવશે  ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આગામી 28 જૂનના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાનાર છે આ માટે યુનિવર્સિટીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિધાર્થીઓ અધ્યાપકો અને યુનિવર્સિટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઇ સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી

મહીસાગર નદીમાં યુવતીએ લગાવી છલાંગ

Image
 અગમ્ય કારણોસર મહીસાગર નદીમાં યુવતીએ લગાવી છલાંગ લોકોની સમજાવટ છતાં મહીસાગર નદીમાં લગાવ્યો કૂદકો

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતાં અજય દહિયા

Image
 *પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતાં અજય દહિયા*  અમરેલી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. અજય દહિયાની પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.                   મૂળ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની શ્રી અજય દહિયાએ આઈ.આઈ.ટી. દિલ્લી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી. ટેક. નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૪ ની સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા.                  તેમણે સૌપ્રથમ દાહોદ અને મોરબી જિલ્લામાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોરબંદર અને બનાસકાંઠા જિલ્લામાં સેવા આપી છે. તેમણે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા ભાવનગર તરીકે તથા અમરેલીમાં જિલ્લા કલેકટર તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે. **********

પંચમહાલ જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન યોજનામાં સુધારા સામે નોંધાવ્યો વિરોધ

Image
 ગોધરાના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન નિયમોમાં સુધારા સામે નોંધાવ્યો વિરોધ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું.. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન, દ્વારા નવી દિલ્હીએ નાણાં બિલ 2025 હેઠળ CCS પેન્શન નિયમોમાં થયેલા સુધારા સામે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી, આ સુધારાને પેન્શનરો વચ્ચે નિવૃત્તિની તારીખના આધારે ભેદભાવ ઊભો કરનારો ગણાવ્યો છે. પેંશનરો નું કહેવું છે કે આ સુધારો 1972થી અમલમાં આવેલા CCS (પેન્શન) નિયમોને લાગુ કરે છે, જેનાથી પેન્શનરોમાં સમાનતા' જાળવવાની જરૂર નહીં રહે. આ નિયમો દ્વારા કેન્દ્ર સરકાર પેન્શનરોને તેમની નિવૃત્તિની તારીખના આધારે અલગ-અલગ લાભ આપે છે, જે સામાજિક ન્યાય અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે પેન્શન એ સામાજિક કલ્યાણનું સાધન છે, જે નિવૃત્ત સરકારી કર્મચારીઓને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. મોંઘવારી અને રૂપિયાની ઘટતી ખરીદશક્તિની અસર બધા પેન્શનરો પર સમાન રીતે પડે છે.અને ફેડરેશનનો આક્ષેપ છે કે 7 મા કેન્દ્રીય પગાર પંચે 01-01-2016 પહેલાં અને પછી નિવૃત્ત થયેલા પેન્શનરો વચ્ચે સમાનતા જાળવી હતી, જેને કેન્દ્ર સરકારે સ...

પંચમહાલ જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું

Image
 પંચમહાલ જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન ગુજરાત પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રરોડિયાની અધ્યક્ષતામાં યોજાયું       ગુજરાત પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા અધિવેશન આજે દાહોદ રોડ પર આવેલી લક્ઝૂરા હોટલ ખાતે યોજાયું હતું જેમાં રાજ્યભરના હોદ્દેદારોએ ભાગ લીધો. આ અધિવેશનમાં પત્રકારોના હકો, મીડિયાની સ્વતંત્રતા અને પડકારો અંગે ચર્ચા થઈ હતી આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર, ડૉ .સુજાત વલી સહીત વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. "આજનું અધિવેશન પત્રકારોના હકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અમે સરકાર સાથે મળીને પત્રકારોની સુરક્ષા અને સુવિધાઓ માટે નીતિ ઘડવા માગીએ છીએ તેમ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું અધિવેશનમાં જિલ્લા અધ્યક્ષ પ્રદીપ સોની,પૂર્વ પ્રમુખ ઇસ્માઇલ ઝભા, પ્રદેશના મંત્રી વિપુલભાઈ દરજી, સહીત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

પંચમહાલમાં ગ્રામ પંચાયતની ચુંટણી ટાણે યુવકની હત્યાથી ચકચાર મચી

Image
 સમાચાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી આવી રહ્યા છે, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી  છે શહેરા તાલુકાના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચુંટણી ટાણે હત્યાનો બનાવ સામે આવ્યો છે   નિશાળ ફળીયામાં ચર્ચા કરવા બેઠેલા વ્યક્તિઓ પર દિલીપ આરત પટેલ નામના શખ્સે મારી નાખવાના ઈરાદે ટ્રેક્ટર હંકારી  હુમલો કરવામાં આવ્યો છે  હુમલામાં ૪૨ વર્ષીય હસમુખ મણીલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચઢાવી દેતા તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડાયો હત જ્યાં સારવાર દરમ્યાન  હસમુખ પટેલનું મોત થયુ હતુ  બનાવની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી  સમગ્ર બાબતે દિપસિંહ આરતસિંહ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે હત્યાનો ગુન્હો નોંધાયો છે શહેરા પોલીસે દિપસિંહ અરતાસિંહ પટેલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પંચમહાલમાં ફરી એકવાર નકલી ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો

Image
 પંચમહાલમાં ફરી એકવાર નકલી ડોક્ટરનો કિસ્સો સામે આવ્યો છે. ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો એક બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો છે. આ ઘટના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામની છે.  પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામનો એ વિસ્તાર છે જ્યાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં એક નકલી ડોક્ટર, જેનું નામ શૈલેન્દ્રનાથ શાંતિરામજન હીરા હોવાનું જાણવા મળ્યું છે, તે બિનઅધિકૃત રીતે દવાખાનું ચલાવતો હતો. આ આરોપી પાસે ન તો કોઈ માન્ય મેડિકલ ડિગ્રી હતી કે ન તો પ્રેક્ટિસ કરવાનું લાઈસન્સ. છતાં તે ગરીબ અને ભોળા લોકોની સારવાર કરીને નાણાં કમાતો હતો. એસ ઓ જી પોલીસને મળેલી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. શૈલેન્દ્રણાથ શાંતિરામજાન હીરા એલોપેથી દવાઓ આપવા ઉપરાંત ઈન્જેક્શન પણ આપતો હતો, જે લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. પોલીસે તેની પાસેથી 50 હજાર રૂપિયા ઉપરાંતની દવાઓ, ઈન્જેક્શન, ઇન્સ્ત્યુમેંટ જપ્ત કર્યા છે.

ગોધરા પરવડી બાયપાસ પર ટ્રેલરને નડ્યો અકસ્માત ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી હાથ ધરી

Image
 ગોધરા પરવડી બાયપાસ પર ટ્રેલરને નડ્યો  અકસ્માત ડ્રાઇવરનો પગ ફસાઇ જતાં ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી  ગોધરા પરવડી બાયપાસ પર જલારામ સ્કૂલ નજીક એક ટ્રેલરને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઈ, અને તેનો પગ કન્ટેનરના પતરામાં ફસાઈ ગયો હતો.  ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરના જવાનોએ આધુનિક સાધનોનો ઉપયોગ કરી ટ્રેલરનું પતરું કાપીને ઇજાગ્રસ્ત ડ્રાઇવરનો પગ બહાર કાઢ્યો હતો બચાવ કામગીરી બાદ ડ્રાઇવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે ડ્રાઇવરનો જીવ બચાવી શકાયો હતો. હાલ ઈજાગ્રસ્ત ડ્રાઇવરની ગોધરા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

ગોધરા વડોદરા હાઇવે પર ચોંકાવનારી ઘટના કાર ચાલક ૬ બેગ લઈ થયો ફરાર

Image
 સમાચારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગોધરા વડોદરા હાઇવે રોડ પર બેગ વેચતા એક વેપારીની 6 બેગ લઈને એક કાર ચાલક ફરાર થઈ ગયો છે. વેપારીએ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી  આ ઘટના ગોધરા વડોદરા  હાઇવે પર બની છે. મળતી માહિતી અનુસાર, 12 જૂનના  રોજ એક વેપારી હાઇવે પર પોતાની બેગ વેચવા પથારો ચલાવી રહ્યો હતો. આ દરમિયાન એક કાર ચાલક તેની પાસે આવ્યો અને બેગ ખરીદવાના બહાને 6 બેગ લઈને  ફરાર થઈ ગયો હતો વેપારી કય સમાજે તે પહેલા   કાર ચાલકે કોઈ જવાબ આપ્યા વિના ઝડપથી વાહન હંકારી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી વેપારીએ તાત્કાલિક નજીકના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જઈને આ ઘટના અંગે અરજી આપી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના પૂર્વ CM વિજય રૂપાણી સહીત 200 થી વધુના મોત..

Image
 .     અમદાવાદથી આવી રહેલા એક દુઃખદ અને ચોંકાવનારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેના કારણે શહેરમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં અનેક લોકોના જીવ ગયા હોવાની આશંકા છે. આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાનીનું દુઃખદ અવસાન થયું છે            આજે બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ  અમદાવાદથી લંડન  જઈ રહી હતી,જે ટેકઓફની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ.  જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાને ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામીનો સામનો કર્યો હતો, જેના કારણે તે નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એક રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું        ઘટના એટલી ભયાનક હતી કે આસપાસનો વિસ્તાર ધૂમાડાથી ઢંકાઈ ગયો હતો. વિમાનમાં સંપૂર્ણ ઇંધણ ભરેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ, જેના કારણે રહેણાંક ઇમારતોને પણ નુકસાન થયું છે. અત્યાર સુધીના અહેવાલો મુજબ, 150થી વધુ મૃતદેહો બહાર કાઢવામા...

અમદાવાદમાં વિમાન ક્રેશ થયું અનેક લોકોના મોતની આશંકા...

Image
 અમદાવાદમાં વિમાન ક્રેશ થયું અનેક લોકોના મોતની આશંકા...

ગોધરા બસ સ્ટેન્ડ મૂળ જગ્યાએ સ્થળાંતર કરવા વેપારી સંગઠન અને લોક જન શક્તિ પક્ષની માંગ

Image
 ગોધરા બસ સ્ટેન્ડ મૂળ જગ્યાએ સ્થળાંતર કરવા વેપારી સંગઠન અને લોક જન શક્તિ પક્ષની માંગ  શહેરના  લાલબાગ બસ સ્ટેન્ડને ભુરાવાવ ખાતે સ્થળાંતર કરવાની જાહેરાત થયા બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય સામે વેપારીઓના સંગઠન અને લોક જન શક્તિ પાર્ટીએ  જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે મુખ્ય બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં આવતા  તેમની રોજગારી પર સીધો પ્રભાવ પડયો છે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે હાલ સ્કૂલ કોલેજ ચાલુ થઈ ગઈ હોય વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે  હંગામી બસ સ્ટેન્ડ ખાતે ડ્રાયવર કંદક્તરો માટે રાત્રિ રોકાણ કરવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી સાંજના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી પણ બસ સ્ટેન્ડ ને મૂળ જગ્યાએ કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

જાંબુઘોડા સહીત અન્ય તાલુકામાં મનરેગા માં ૧૦ હજાર કરોડનું કોંભાડ? અમિત ચાવડાની CBI તપાસણી માંગણી..

Image
 જાંબુઘોડા સહીત અન્ય તાલુકામાં મનરેગા માં ૧૦ હજાર કરોડનું કોંભાડ? અમિત ચાવડાની CBI તપાસણી માંગણી..

જાંબઘોડા ભ્રષ્ટાચારનું એ પી સેન્ટર

Image
 જાંબઘોડા ભ્રષ્ટાચારનું એ પી સેન્ટર ? પૂર્વ કાયદામંત્રી એ ઉઠાવ્યા સવાલો.

પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના મનરેગા યોજનામાં કૌભાંડનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

Image
 પંચમહાલ જિલ્લામાં  કોંગ્રેસના  મનરેગા યોજનામાં કૌભાંડનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો છે.  પંચમહાલ જિલ્લામાં મનરેગા હેઠળ થયેલા કથિત કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ  આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મનરેગા યોજના, જે ગરીબ અને ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગાર પૂરો પાડવા માટે બનાવવામાં આવી હતી, તેમાં ભાજપના નેતાઓ અને મળતિયાઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.  .   ભાજપના લોકો અને તેમના મળતિયાઓએ આ યોજનાને લૂંટનો અડ્ડો બનાવી દીધો છે. પંચમહાલમાં આ કૌભાંડની ગંભીર ફરિયાદો સામે આવી છે, આ મામલે તાત્કાલિક ન્યાયિક તપાસ કરવામાં આવે. તેવી માંગ કરવામાં આવી છે