Posts

Showing posts from January, 2026

પંચમહાલ જિલ્લામાં ઇ ગ્રામ કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ, ડીજીટલ સેવાઓ ખોરવાશે..

Image
 પંચમહાલ જિલ્લામાં ઇ-ગ્રામ કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ, કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું  રાજ્ય સરકાર દ્વારા ઇ-ગ્રામ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને સાંસદને આવેદનપત્ર પાઠવ્યું છે.   પંચમહાલ જિલ્લામાં ઇ-ગ્રામ  યોજના અંતર્ગત જિલ્લા અને તાલુકા સ્તરે ફરજ બજાવતા અનેક કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.  આવેદનપત્રમાં કર્મચારીઓએ પોતાની માંગણીઓ રજૂ કરી છે અને વિના કારણે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે  કર્મચારીઓનું કહેવું છે કે, આ નિર્ણયથી ગામડાઓમાં ડિજિટલ સેવાઓ, આધાર, રેશન કાર્ડ, જન્મ-મૃત્યુ નોંધણી જેવા મહત્વના કામો ઠપ થઈ શકે છે અને ગ્રામીણ વિસ્તારોના લોકોને મુશ્કેલી પડશે.

ગોધરામાં તનઝીમુલ મુસ્લિમીન સંગઠને (SIR) ની કામગીરીમાં ખોટી રીતે નામો કમી કરવા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો કસૂરવાર સામે પગલા ભરવાની માંગ કરી

Image
 ગોધરામાં તનઝીમુલ મુસ્લિમીન સંગઠને મતદાર યાદીના  (SIR)ની કામગીરીમાં ખોટી રીતે નામો કમી કરવા સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. સંગઠનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત પત્ર આપીને કસૂરવાર અધિકારીઓ અને વ્યક્તિઓ સામે તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 2026ના SIR પ્રક્રિયા દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાંથી અનેક વ્યક્તિઓના નામોને અયોગ્ય અને ઇરાદાપૂર્વક કમી કરવામાં આવ્યા હોવાના આરોપ છે. આનાથી અસરગ્રસ્ત લોકોને વોટિંગના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું હોવાનું તનઝીમુલ મુસ્લિમીનના પ્રતિનિધિઓએ જણાવ્યું છે. સંગઠને આને લોકશાહીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને તપાસની માંગ કરી છે. તનઝીમુલ મુસ્લિમીને જણાવ્યું છે કે "આ માત્ર વહીવટી ભૂલ નથી, પરંતુ જાણી જોઈને કરાયેલું કૃત્ય છે. અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે કસૂરવારોની તપાસ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કમી કરાયેલા નામોને પુનઃસ્થાપિત કરવામાં આવે.

ગોધરા: પાનમ સિંચાઈ પેટા વિભાગ-3 ના નાયબ ઇજનેર સામે અપ્રમાણસર મિલકતની ACB માં નોંધાઈ ફરિયાદ

Image
 ગોધરા: પાનમ સિંચાઈ પેટા વિભાગ-3 ના નાયબ ઇજનેર સામે અપ્રમાણસર મિલકતની નોંધાઈ ફરિયાદ  એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી શરૂ. તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલકુમાર જસવંતલાલ શાહ પર અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ  આજની મોટી ખબર પંચમહાલ જિલ્લાના ગોધરાથી...  લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એટલે કે ACBએ ફરી એક વખત સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારના મામલામાં કડક કાર્યવાહી કરી છે.  ગોધરા ખાતેના  પાનમ સિંચાઈ પેટા વિભાગ-3 ના તત્કાલીન નાયબ ઇજનેર  સામે 33 લાખ ઉપરાંત અપ્રમાણસર મિલકત વસાવવાની ફરિયાદ ACBમાં નોંધાઈ છે.  આ ફરિયાદમાં આરોપ છે કે, નાયબ ઇજનેરે પોતાની  આવક કરતાં 74 ટકાથી  વધુ મિલકતો, અને અન્ય સંપત્તિ વસાવી છે, જે ભ્રષ્ટાચાર અને અનૈતિક માર્ગો દ્વારા મેળવવામાં આવી હોવાની શંકા છે.  ACBના અધિકારીઓએ આ મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. જલ્દી જ આરોપી અધિકારીના ઘર-દફ્તર પર દરોડા પાડવામાં આવી શકે છે અને મિલકતોની વિગતવાર તપાસ કરવામાં આવશે.  આવા કેસોમાં ACB સામાન્ય રીતે Prevention of Corruption Act હેઠળ કાર્યવાહી કરે છે, જેમાં અપ...

પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલાં બાળકને ગણતરીની કલાકો માંજ હેમખેમ શોધી કાઢતી પંચમહાલ પોલીસ..

Image
 પાવાગઢ રોડ પરથી અપહરણ થયેલ 5 માસના  માસૂમ બાળકને પોલીસે હેમખેમ શોધી કાઢી અને તેને તેના માતા-પિતાને સુરક્ષિત  સોંપ્યુ આ ઘટના પાવાગઢ રોડ પર સાઈ મંદિર નજીક બની હતી, જ્યાં શ્રમજીવી પરિવાર રોડની બાજુમાં રાત વિતાવી રહ્યો હતો. મોડી રાત્રે એક અજાણી વ્યક્તિએ બાળકને ઉઠાવી લીધૂ હતું. પરિવારની તાત્કાલિક ફરિયાદ પર હાલોલ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી.પોલીસે આસપાસના  સીસીટીવી કેમેરાના ફુટેજનું વિશ્લેષણ કર્યું. અને તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો. બાળકને કોઈ ઈજા વગર સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યુ અને તેને તેના માતા-પિતાની ગોદમાં સોંપવામાં આવ્યૂ હતુ.જિલ્લા પોલીસ વડા અને હાલોલ પોલીસની ટીમની ત્વરિત અને સમયસર કાર્યવાહીને કારણે આ સફળતા મળી હતી.

પાવાગઢ રોડ પર પાંચ માસની બાળકીનું અપહરણ, પોલીસનો ધમધમાટ શરૂ..

Image
 આજના બ્રેકિંગ ન્યૂઝમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ રોડ પર એક 5 માસની માસુમ બાળકીનું અપહરણ થયું છે. આ ઘટના મોડી રાતની છે, જ્યારે બાળકી તેના પરિવાર સાથે રોડની બાજુમાં સુતી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ઘટના પાવાગઢ રોડ પર સાઈ મંદિર નજીકના વિસ્તારમાં બની છે. બાળકીના પરિવારના જણાવ્યા મુજબ, તેઓ શ્રમજીવી છે અને રોડના ફુટપાથ પર રાત વિતાવી રહ્યા હતા. મોડી રાતે એક અજાણી વ્યક્તિ આવી અને બાળકીને ઉઠાવીને લઈ ગઈ. આ તમામ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં આરોપી સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.પરિવારની ફરિયાદ પર હાલોલ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો નોંધ્યો છે. જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારોના વધુ સીસીટીવી ફુટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને સ્થાનિક લોકોના નિવેદનો પણ લઈ રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે,  પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે  જો તમારી પાસે કોઈ માહિતી હોય તો તાત્કાલિક હાલોલ પોલીસને જાણ કરો.

રાજપૂત સમાજના 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો"વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલેન્સ" એવોર્ડ એનાયત..

Image
 ગોધરા ખાતે રેવા કાંઠા રાજપૂત સમાજના 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સમાજના સંગઠનને વિશેષ સન્માન મળ્યું છે.  પંચમહાલ જિલ્લાના ગોધરામાં આયોજિત આ શતાબ્દી મહોત્સવમાં હજારો રાજપૂત સમાજના સભ્યો, આગેવાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના 100 વર્ષની સફરને યાદ કરતાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત નૃત્ય, ભજન-કીર્તન અને સમાજસેવાના પ્રદર્શનો યોજાયા હતા.  આ પ્રસંગે રેવા કાંઠા રાજપૂત સમાજના સંગઠનને તેમની ઉત્તમ સેવા, સમાજોત્થાન અને સાંસ્કૃતિક વારસાના જતન માટે "વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલેન્સ" નામનો વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સમાજની 100 વર્ષની અવિરત સેવા અને સમર્પણને માન આપતો છે.   આ મહોત્સવ દરમિયાન સમાજના વરિષ્ઠો દ્વારા યુવાન પેઢીને પરંપરા અને આધુનિકતાના સમન્વયનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ 100 વર્ષની યાત્રા એકતા, સેવા અને સંસ્કારોની છે, અને આવનારા વર્ષોમાં પણ આ યાત્રા ચાલુ રહેશે.

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એક ગંભીર બેદરકારી સામે આવી

Image
 ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીના અધિકારીઓ અને પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસ્યા વિના જ પરત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓની 11000 ઉપરાંત ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યા વિના જ તેને યુનિવર્સિટીને પરત કરી દેવામાં આવી છે. આના કારણે વિદ્યાર્થીઓના માર્ક્સ અને રિઝલ્ટમાં અનિયમિતતા જોવા મળી છે, જે તેમના કારકિર્દી અને આગળના અભ્યાસને અસર કરી શકે છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આ વિશે તીવ્ર આક્રોશ વ્યાપી ગયો છે,  યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર પ્રોફેસરોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેઓએ કહ્યું કે, "આ પ્રકારની બેદરકારી અસ્વીકાર્ય છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરવાની માંગ ઉઠી છે

ગોધરા બસસ્ટેન્ડને ભુરાવાવ ખાતે ખસેડવામાં વિધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા સિટી બસ સુવિધા ચાલુ કરવા હિન્દુ મહાસભાની માંગ..

Image
 ગોધરા બસસ્ટેન્ડને ભુરાવાવ ખાતે ખસેડવામાં આવતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા  વિધાર્થીઓ માટે સિટી બસ સુવિધા ચાલુ કરવા હિન્દુ મહાસભા દ્વારા માંગ કરવામાં આવી પંચમહાલ જિલ્લાના ગોધરામાં બસ સ્ટેન્ડના સ્થળાંતરથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાયઓવર બ્રિજની કામગીરીને કારણે લાલબાગ ખાતેનું જૂનું બસ સ્ટેન્ડ હંગામી ધોરણે ભુરાવાવ એસટી વર્કશોપ ખાતે ખસેડવામાં આવ્યું છે. આનાથી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી ગોધરા શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ખાસ્સી તકલીફ પડી રહી છે.નવા બસ સ્ટેન્ડનું સ્થળ શહેરના મુખ્ય ભાગથી દૂર હોવાથી વિદ્યાર્થીઓને કોલેજ અને સ્કૂલ સુધી પહોંચવા વધારાનું અંતર કાપવું પડે છે. રિક્ષા કે અન્ય વાહનોના ભાડામાં વધારો થવાથી તેમના પર આર્થિક બોજો પણ વધ્યો છે. ભુરાવાવ ખાતેના નવા હંગામી બસ સ્ટેન્ડ પર મુસાફરો અને વિશેષ કરીને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.  આ મુદ્દે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે સિટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. જો આ સુવિધા શરૂ થાય તો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.

ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ટીબી કેન્દ્રનું નવું એક્સ રે મશીન ત્રણ વર્ષથી બંધ હાલતમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા..

Image
 ગોધરા સિવિલ હોસ્પિટલમાં ટીબી કેન્દ્રનું નવું એક્સ-રે મશીન ત્રણ વર્ષથી બંધ હાલતમાં  મશીનના બંધ પડવાથી ટીબીના દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  પંચમહાલ જિલ્લાના ગોધરાની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં ફરી એકવાર બેદરકારી સામે આવી છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી કેન્દ્ર માટે ખાસ તૈયાર કરવામાં આવેલું નવું એક્સ-રે મશીન છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં પડ્યું છે અને ધૂળ ખાઈ રહ્યું છે. આ મશીનના બંધ પડવાથી ટીબીના દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  ગોધરા સિવિલ હોસ્પિટલના ટીબી કેન્દ્રમાં આવેલું આ અત્યાધુનિક એક્સ-રે મશીન કરોડો રૂપિયાના ખર્ચે લાવવામાં આવ્યું હતું, જેથી ટીબીના દર્દીઓને તાત્કાલિક અને મફતમાં એક્સ-રે સુવિધા મળી રહે. પરંતુ આ મશીન છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી બંધ પડ્યું છે. આ મશીન હવે ધૂળના ઢગલા નીચે દબાઈ ગયું છે. આના કારણે ટીબીના દર્દીઓને ખાનગી ક્લિનિકમાં મોંઘા દરે એક્સ-રે કરાવવા પડે છે. ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આ મોટી સમસ્યા બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારી તંત્રની બેદરકારીને લીધે આવા મોંઘા મશીનોનો દુરુ...

ગોધરાની ગુલશન સોસાયટીની ખુલ્લી ગટરમાં કચરાના ઢગલા, રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોમાં ભય..

Image
 ગોધરાની ગુલશન સોસાયટીની ખુલ્લી ગટરમાં કચરાના ઢગલા રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોમાં ભય  ગોધરાના વોર્ડ નંબર 10માં આવેલા ગોન્દ્રા પીઠા મોહલ્લાની ગુલશન સોસાયટી નજીકની ખુલ્લી ગટર છેલ્લા ઘણા સમયથી કચરાથી ઉભરાય છે. ગટરમાં ઘરગથ્થુ કચરો, પ્લાસ્ટિક અને ગંદુ પાણી ભરાઈ રહેતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે. જેનાં કારણે અનેક લોકો બીમારીમા સપડાયા છે   રોગચાળાના ભયથી રહીશો ભારે પરેશાન છે અને જલ્દ થી જલ્દ સાફ સફાઈ કરવાં માંગ ઉઠી છે  ગટરમાં ભરાયેલા કચરાના કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બન્યો છે. રાત દિવસ મચ્છરોના ત્રાસથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પીડાઈ રહ્યા છે. સ્થાનિકો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ ફેલાવાના ભય હેઠળ જીવી રહ્યા છે.  ચિંતાજનક બાબત એ છે કે આ ગટરને અડીને શાળા પણ આવેલી છે. બાળકો શાળાએ આવતા હોવાથી તેમના આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.  અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી, તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. નગરપાલિકાની આ બેદરકારી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ...

ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં પંચમહાલ SOG એ કરી મોટી કાર્યવાહી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો...

Image
 ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં પંચમહાલ SOG એ મોટી કાર્યવાહી કરી છે.  એક ગોડાઉનમાંથી શંકાસ્પદ 105 કિલોગ્રામ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પંચમહાલ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે.  આ બાતમીના આધારે SOG ની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો અને કિશન વીરવાણીના ગોડાઉનમાંથી આશરે 105 કિલોગ્રામ પનીર જપ્ત કર્યો.આ પનીર શંકાસ્પદ હોવાના કારણે તેના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.  પ્રાથમિક તપાસમાં આ પનીરમાં ભેળસેળ અથવા અન્ય અનિયમિતતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.   આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વધુ તપાસ ચાલુ છે

ગોધરા 126 વિધાનસભાના 10,177 મતદારોના નામ 2002ની મતદાર યાદી સાથે મેપ ન થતાં વહીવટીતંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી..

Image
 ગોધરા 126 વિધાનસભા મતવિસ્તારના  10 હજાર ઉપરાંત મતદારોને 2002 ની યાદી સાથે મેપિંગ ન થતાં નોટિસ પાઠવવામાં આવી  પુરાવા રજૂ કરવા 1 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો  ગોધરા વિધાનસભા  126 હેઠળના 10, હજાર ઉપરાંત મતદારોના નામ વર્ષ 2002ની મતદારયાદી સાથે મેપ ન થતાં વહીવટીતંત્ર દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે. આ મતદારોને સરકાર દ્વારા માન્ય 12  પુરાવાઓ માંથી ઓછામાં ઓછો એક પુરાવો રજૂ કરવા સૂચના અપાઈ છે. આ મામલે પ્રાંત , મામલતદાર, તાલુકા પંચાયત કચેરી તેમજ નગરપાલિકા કચેરી ખાતે સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન નોટિસ મળેલા મતદારોએ તેમના આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  મતદારો 1 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી, 2026 સુધીમાં તેમના પુરાવા રજૂ કરી શકશે. આ બાબતે ગંભીરતા દાખવી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પ્રાંત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે

કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો ભારતીય કિસાન સંઘનો આક્ષેપ સહાય ન મળતા પંચમહાલના ખેડૂતો આક્રમક મૂડમાં.

Image
 કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો ભારતીય કિસાન સંઘનો આક્ષેપ, સહાય ન મળતા પંચમહાલના ખેડૂતો આક્રમક મૂડમાં. પંચમહાલ જિલ્લામાં કૃષિ રાહત પેકેજ–૨૦૨૫ અંતર્ગત, જાહેર કરાયેલી સહાય હજુ સુધી ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર પંચમહાલ જિલ્લાના ખેડૂતોને મળવાપાત્ર કૃષિ રાહત પેકેજની સહાય ચૂકવવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો આક્રમક મૂડમાં આવી ગયા છે. ભારતીય કિસાન સંઘ પંચમહાલ દ્વારા આ બાબતે, રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી, જણાવાયું છે કે, કૃષિ રાહત પેકેજમાં જિલ્લાના ખેડૂતો સાથે ગંભીર અન્યાય થયો છે. સંગઠનનો આક્ષેપ છે કે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા, કૃષિ રાહત પેકેજની સહાય રકમનું મનસ્વી રીતે વહીવટ કરવામાં આવ્યું છે, અને ઘણા ખેડૂતોને સહાય મળી નથી તો કેટલાક ખેડૂતોને અપૂરતી સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતોનો દાવો છે કે સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે, તમામ પાત્ર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. ૨૨,૫૦૦ની સહાય, સર્વે કર્યા વિના પણ ચૂકવવામાં આવશે. છતાં પંચમહાલ જિલ્લામાં આ જાહેરાત મુજબ સહાય અમલમાં આવી નથી. આ મુદ્દે અગાઉ પણ ત્રણ વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં ...

આ તમારું કામ છે,તમારે કરવુંજ પડે, પંચમહાલ કલેક્ટર અજય દહિયા એ આવું શા માટે કહ્યું.?

Image
 આ તમારું કામ છે તમારે કરવુંજ પડે,  પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા એ R&B સહિત અન્ય રોડ વિભાગનું  નામ લઈ માર્મિક ટકોર કરી હતી,  ગોધરાના BRGF ભવન ખાતે માર્ગ સલામતી માસ ની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન અકસ્માત નિવારણ માટે R&B સહિત અન્ય રોડ વિભાગનું  નામ લઈ અજય દહિયાએ આ ટકોર કરી હતી, પંચમહાલ કલેક્ટરે આવું શા માટે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે.

લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રણ ના મળતા ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી કલેકટરનો ઉઘડો લીધો..

Image
લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રણ ના મળતા ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી કલેકટરનો ઉઘડો લીધો..

ગોધરામાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા પહોંચી વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો...

Image
 કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગોધરામાં પહોંચી, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો   ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા હવે મધ્ય ગુજરાતમાં પહોંચી છે. આજે ગોધરામાં યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નો, ડ્રગ્સ અને દારૂના વધતા પ્રસાર, બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી હતી. જનઆક્રોશ યાત્રા દરમિયાન ગોધરાના જૂના બસ સ્ટેશનના વેપારીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને અમિત ચાવડાને રજૂઆત કરી હતી કે બસ સ્ટેશન અન્ય જગ્યાએ લઈ જવાથી અને નગરપાલિકા દ્વારા કમ્મરતોડ ભાડામાં વધારો કરવાથી વેપારીઓની હાલત કફોડી બની છે અને વેપારી વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે વેપારીઓએ ન્યાય અપાવવા માટે અમિત ચાવડાને રજૂઆત કરી હતી

ગોધરામાં BRGF ભવન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ ની ઉજવણી કરાઈ...

Image
 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ગોધરામાં ઉજવણી કરાઈ   રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ની શરૂઆત સાથે ગોધરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) અને જિલ્લા પોલીસ અધીક્ષક કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમોનું BRGF ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ માસ દરમિયાન નાગરિકોને સુરક્ષિત વાહનચાલનના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સરકારની રાહવીર યોજના વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી  આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ગોધરા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપણે બધા મળીને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીએ અને અકસ્માતમુક્ત ભારતનું નિર્માણ કરીએ.