Posts

Showing posts from October, 2025

ગોધરા સબજેલ ખાતે બંદીવાનો માટે સરદાર વલ્લભભાઈ પટેલ વિષયક વિશેષ પરીક્ષાનું આયોજન કરાયું...

Image
 ગોધરા સબ જેલ ખાતે બંદીવાનો માટે સરદાર વલ્લભભાઈ પટેલ વિષયક વિશેષ પરીક્ષા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેનુ પરિણામ જાહેર આજે કરવા મા આવ્યુ હતુ  સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગોધરા સબ જેલ ખાતે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. બંદીવાનો માટે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યો અંગે વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 90 બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજે જાહેર થયેલા પરિણામ મુજબ જુનેદ હારૂન મફત એ 60 માંથી 59 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ઉવેશ મફત બીજા ક્રમ મેળવ્યો હતો બંને વિજેતાઓને પ્રશસ્તિપત્ર અને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અન્ય 10 જેટલા બંદીવાનો ને પણ ઉત્તમ પ્રદર્શન બદલ પ્રશસ્તિપત્ર અને ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બંદીવાનો માં રાષ્ટ્રીય એકતા, પ્રેરણા અને દેશભક્તિના મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.

ગોધરામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ રન ફોર યુનિટી કાર્યક્રમમાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા..

Image
 ગોધરા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી   આ અવસરે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન કરાયું  કાર્યક્રમમાં શહેરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો  સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરભરમાં રાષ્ટ્રીય ભાવના અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. ગોધરામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું, આ દોડ વિશ્વકર્મા ચોકથી શરૂ થઈ પટેલવાડા,પોલણબજાર, ગીદવાની રોડ થઈ રામસાગર તળાવ ખાતે સમાપ્ત થઈ હતી.    શહેરના નાગરિકો, સરકારી કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા અને નગરપાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ખેડૂતો માટે મોટા સમાચાર હવે ખેડૂતો જાતેજ " કૃષિ પ્રગતિ" એપથી પાકના નુકશાનનો સર્વે કરી શકશે

Image
 . ગુજરાતના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યાં છે  હવે ખેડૂત જાતે જ ખેતરમાં થયેલા પાકના નુકશાનનો સર્વે કરી શકશો.  ગુજરાત સરકારની 'કૃષિ પ્રગતિ' મોબાઇલ એપ્લિકેશન દ્વારા આ સુવિધા ઉપલબ્ધ થઈ છે.  આ એપથી ખેડૂતોને નુકશાનીની તપાસ, વળતરની પ્રક્રિયા અને સરકારી સહાય ઝડપથી મળશે.  તાજેતરમાં 'માવથા' વાવાઝોડાએ ગુજરાતમાં 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને ભારે નુકશાન પહોંચાડ્યું છે. પરંતુ હવે ખેડૂતોને રાહતની નવી તક મળી છે. કૃષિ વિભાગની 'કૃષિ પ્રગતિ' એપ દ્વારા ખેડૂત પોતાના સ્માર્ટફોનથી જ ખેતરના નુકશાનનો સર્વે કરી શકો છો. આ એપમાં GPS ટ્રેકિંગ, ફોટો અપલોડ અને AI-આધારિત વિશ્લેષણની સુવિધા છે. ખેડૂત માત્ર કેટલીક ક્લિક્સમાં તેમના પાકના નુકશાનની તસવીરો અને વિગતો અપલોડ કરી શકે છે, આ પહેલથી લાખો ખેડૂતોને લાભ થશે અને નુકશાનીના વળતરની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.

ગોધરામાં સફાઈ સહિતની પાયાની સુવિધા ન મળતા સ્થાનિકોમાં રોષ પાલિકા સામે હલ્લાબોલની ઉચ્ચારાઇ ચીમકી...

Image
 ગોધરા સ્ટેશન રોડ 6 નંબર ચોકી સામે સફાઈ ન થતા પાલિકા સામે લોકોમાં આક્રોશ  પાયાની સુવિધા ન મળતા નગરપાલિકા સામે હલ્લાબોલની ઉચ્ચારાઇ ચીમકી  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ના સ્ટેશન રોડ વિસ્તારમાં આજે ફરી એકવાર સ્થાનિક રહીશો માં આક્રોશ જોવા મળ્યો છે. શહેરની 6 નંબર પોલીસ ચોકીની સામેના વિસ્તારમાં સફાઈ અને મૂળભૂત સુવિધાઓની કથળતી હાલતને કારણે લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે. અહીંના રહેવાસીઓ કહે છે કે કચરાના ઢગલાઓ અને ગંદગીથી તેમનું રહેવુ મુસકિલ બની ગયું છે. એક વરસથી કોઈ કચરો લેવા આવતું નથી કે અન્ય કોઈ સુવિધા મળતી નથી  આ વિસ્તારમાં રહેતા પરિવારો અને વેપારીઓને ગંદગીથી મચ્છરો અને રોગોનો ભય સતાવે છે.   વેપારી અને રહેવાસીઓએ જણાવ્યું કે તેઓએ નગરપાલિકા અને સ્થાનિક પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા. જેને લય આ વિસ્તાર ના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે

મોરવા હડફ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત સર્વે કરી વળતર ચૂકવવા AAP ની માંગ..

Image
 મોરવા હડફ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો  આમ આદમી પાર્ટીએ નુકશાન થયેલ પાકનું સર્વે કરી વળતર ચૂકવવા કરી માંગ     ગુજરાતમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ડાંગર, કપાસ અને અન્ય પાકો ખતમ થઈ ગયા છે. આ નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ આમ આદમી પાર્ટી એ કરી છે. આમ આદમી પાર્ટીએ તાલુકા મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂતોનું દુઃખ વ્યક્ત કરી રજૂઆત કરી હતી તાલુકામાં કમોસમી વરસાદથી ઊભા પાકને ભારે નુકશાન થયું છે જેનાથી ખેડૂતોની કફોડી હાલત થઇ છે પાકના નુકશાનનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરવામા આવી છે

મોરવા હડફ તાલુકા સસ્તા અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને લઈ આવેદન પાઠવ્યું વિતરણ વ્યવસ્થાથી દૂર રહેવાની ચીમકી..

Image
 મોરવા હડફ તાલુકા સસ્તા અનાજના સંચાલકોએ પડતર માંગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું  નવેમ્બર મહિનામાં વિતરણ વ્યવસ્થાથી દૂર રહેવાની ચીમકી ઉચ્ચારાઇ   ગુજરાત રાજ્ય એફ પી એસના બંને સંગઠનો દ્વારા નવેમ્બર મહિનામાં અસહકાર આંદોલનની જાહેરાત કરી છે રાજ્યભરના 17 હજારથી વધુ સસ્તા અનાજના સંચાલકોએ 1 નવેમ્બરથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે જેમાં સંગઠિત થઈ મોરવા હડફ તાલુકાના સંચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે    કમિશનની રકમ વિતરણના નિયમો સહિત વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈ 1 નવેમ્બરથી રેશનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત મોરવા હડફ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

Image
 ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન પ્રસુતાનું મોત  બે બાળકોની માતાનું મૃત્યુ થતાં શોકની લાગણી ફેલાઈ  પરિવારજનોએ હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો   ડિલિવરી દરમ્યાન તબીબની બેદરકારીથી મહિલાનું મૃત્યુ થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ  મળતી માહિતી મુજબ, રિઝવાનાને પ્રસૂતિ માટે સારા મધર હેલ્થ કેર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, થોડા સમય બાદ તબીબોએ જણાવ્યું કે રિઝવાનાનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું છે.  . દર્દીને ગોધરાના મઝાહિર મીઠીબોરવાલા પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ રિઝવાનાનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયાનું જણાવ્યું હતું, આમ, બંને તબીબોના નિવેદનમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે.પ્રસૂતાના મોત બાદ રોષે ભરાયેલા સ્વજનોએ સારા મધર એન્ડ હેલ્થ કેર હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.હાલ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. તબીબી બેદરકારીના આક્ષેપોને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ ઘટનાની વિગતો મેળવે છે કે કેમ તે જોવું રહ્યું.

ગોધરાની સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય સ્મશાનયાત્રા કાદવ વચ્ચેથી કાઢવી પડી..

Image
 ગોધરાની શક્તિનગર અને ગુરુકૃપા સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે ગંદકીનું સામ્રાજ્ય - સ્મશાન યાત્રા કાદવ કીચડ વચ્ચેથી પસાર કરવી પડી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની શક્તિનગર  અને ગુરુકૃપા સોસાયટીમાં પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ આજે એક પરિવાર માટે સ્મશાન યાત્રાનું દુઃખ વધારી ગયો. ગંદા પાણી અને કાદવથી ભરેલા રસ્તા વચ્ચેથી સ્મશાન યાત્રા કાઢવી પડી - આ સમસ્યા માત્ર એક ઘટના નથી, પરંતુ આખા વિસ્તારની દૈનિક ત્રાસદી છે. તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે  ખરેખર દિલ દ્રાવક ઘટના છે,  આવી સ્થિતિમાં પણ સ્મશાન યાત્રા કાદવની વચ્ચેથી પસાર કરવી પડે જે નગરપાલિકાની નિષ્ફળતા દર્શાવે છે.   સ્થાનિકોનો આક્ષેપ છે કે શક્તિનગર સોસાયટીમાં અંતિમ યાત્રા કાઢવા માટે પરિવારજનોને ગંદા પાણી અને કાદવની વચ્ચેથી પસાર થવું પડ્યું. રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય છે - ડ્રેનેજ ની કોઈ વ્યવસ્થા નથી, વરસાદી પાણી મહિનાઓ સુધી એકઠું રહે છે, અને કચરો તેમાં ભળીને ઝેરી વાતાવરણ બનાવે છે. વર્ષો જૂનો પાણીનો આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે

ગોધરા નો વીટ આર્ટિસ્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને રાહુલ ગાંધી સહિત ફિલ્મ હસ્તીઓને ચિત્રો ભેટ આપ્યા છે દુબઈમાં કરશે કલા પ્રદર્શન..

Image
 ગોધરાના વીટ આર્ટિસ્ટ અનવર મામજી દુબઈમાં કરશે કલા પ્રદર્શન ગોધરા શહેરના પ્રખ્યાત વીટ આર્ટિસ્ટ અનવર મામજી છેલ્લા 30 વર્ષથી ઘઉંની સળીમાંથી નયનમય અને આબેહૂબ ચિત્રો તૈયાર કરી રહ્યા છે. તેમની અનોખી કલા દ્વારા તેમણે રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલકલામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, કપિલ શર્મા સહિતના અગ્રણી રાજનેતાઓ અને અભિનેતાઓના ચિત્રો બનાવી ભેટ આપી ચૂક્યા છે. અનવરની કૃતિઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રશંસા મેળવી છે. તેમના આ અનોખા હુન્નરને કારણે તેમને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. હાલમાં તેઓ દુબઈ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે સતત રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. આ પ્રસંગે તેઓ તાજમહલ, લાલકિલ્લા સહિત દેશની ઐતિહાસિક ઇમારતોના આકર્ષક ચિત્રો પ્રદર્શિત કરશે. અનવર માંમજીનો આ પ્રયાસ ગોધરા સહિત સમગ્ર દેશનું ગૌરવ વધારશે.

રાજ્યના 17 હજાર સસ્તા અનાજના સંચાલકોની 1 નવેમ્બરથી હડતાળ 72 લાખથી વધુ પરિવારોને થશે અસર...

Image
 સસ્તા અનાજના દુકાનદારોએ કરી હડતાળની ઘોષણા પડતર માંગણીઓને લઈ હડતાલની જાહેરાત ગુજરાતમાં રેશન વ્યવસ્થા પર મોટી અસર થવાની શક્યતા છે રાજ્યભરના 17 હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારોએ 1 નવેમ્બરથી હડતાળ પર જવાની જાહેરાત કરી આ હડતાળથી લાખો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું રેશન મેળવવું મુશ્કેલ બની શકે છે.    ગુજરાત ફેર પ્રાઈસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હૉલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે, સરકારે તેમની લાંબા સમયથી ચાલતી માંગો પર કોઈ ધ્યાન આપ્યું નથી. અમારી મુખ્ય ત્રણ માંગો છે એમાં મુખ્ય વિવાદ કમિશનની રકમ અને વિતરણના નિયમોને લઈને છે. આના વિરોધમાં 1 નવેમ્બરથી રેશનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેની અસર જાહેર વિતરણ વ્યવસ્થા પર પડશે અમે વર્ષોથી કમિશન અને નિયમો બદલવાની માંગ કરીએ છીએ, પણ સરકાર સાંભળતી નથી. 72 લાખથી વધુ પરિવારો રેશન પર આધાર રાખે છે, આ હડતાળથી તેમને મુશ્કેલી પડશે. જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારાય, અમે હડતાળ પર અડગ રહીશું

ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રી મંડળ પંચમહાલની દિવાળી ફિક્કી કેમ પડી? જૂથબંધી જવાબદાર ?

Image
 ABC ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે  મિત્રો આજે આપણે વાત કરીશું નવા મંત્રી મંડળની રચના બાબતે એમાં ખાસ કરીને પંચમહાલની બાદબાકી કરવામાં આવી તે વિશે ચર્ચા કરીશું,  મિત્રો,ગુજરાત રાજ્યમાં વિધાનસભાનું નવું મંત્રીમંડળ રચાઈ ગયું છે પરંતુ આ મંત્રી મંડળમાં પંચમહાલ જિલ્લાની રીતસરની બાદબાકી કરવામાં આવી છે   ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ રચાઈ  ગયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં નવા મંત્રીઓએ શપથ લીધી છે. આ વિસ્તરણમાં કુલ 26 સભ્યોનો સમાવેશ થયો છે, જેમાં 19 નવા ચહેરાઓ અને 6 જૂના મંત્રીઓની પુનર્નિયુક્તિ કરવામાં આવી છે. આમાં ખાસ વાત એ કે, પંચમહાલ જિલ્લાના એક પણ ધારાસભ્યને આ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી, જે જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રી મંડળની રચનામાંથી સંપૂર્ણ ભાજપ સમર્પિત એવા પંચમહાલ જિલ્લાની બા કાયદા બાદબાકી કરવામાં આવી છે કેટલાક મંત્રીપદ વાચ્છું ધારાસભ્યોની આતશબાજી કરવાની ઘેલછાઓનું, દિવાળી પર્વના તહેવારમાં સુરસુરિયું થ...

પંચમહાલ મોરવા હડફ APMC ચૂંટણીનું પરિણામ જાહેર ભાજપ પ્રેરિત પેનલનો સર્વત્ર વિજય...

Image
 મોરવા હડફ APMC ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા ભાજપનો સર્વત્ર વિજય થયો હતો  10 બેઠકો માટે 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો જેમાં ભાજપ પ્રેરિત પેનલે વિજય મેળવ્યો હતો   પંચમહાલ જિલ્લાના મોરવા હડફ APMCની ખેડૂત વિભાગની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા.  ભાજપના ઉમેદવારોએ 10માંથી બધી 10 બેઠકો પર જીત મેળવી છે. આ ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાઈ હતી અને 18 ઓક્ટોબરે પરિણામ જાહેર થયા છે. આ વિજયથી મોરવા હડફ વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.   મોરવા હડફ APMCના માર્કેટ યાર્ડ ખાતે આજે વિજયોત્સવનો ધમાકેદાર માહોલ છે. ભાજપના 10માંથી બધા ઉમેદવારોએ મોટા માર્જિનથી જીત મેળવી છે. કુલ 18 માન્ય નામાંકનોમાંથી ભાજપના પેનલે સંપૂર્ણ સફળતા મેળવી છે. વિજેતાઓમાં  APMC પ્રમુખ હરદીપ જાડવ, મોતીભાઈ, વિજય પટેલ, વિક્રમ ડિંડોર, દિનેશ માલીવાડ સહિતના ઉમેદવારો વિજયી બન્યા હતા

ગોધરામાં કમલમ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ

Image
 પંચમહાલ જિલ્લામાં આગામી દિવસો મા સરદાર પટેલની @150 મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સંકલન સમિતિની બેઠક યોજાઇ  કમલમ ખાતે યોજાયેલ મિટિંગમાં સાત વિધાનસભા દીઠ અનેક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ  આગામી 31 ઓક્ટોબરથી 6 ડિસેમ્બર દરમિયાન વિધાનસભા દીઠ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખાની તૈયારી ના આયોજન માટે કમલમ ખાતે સંકલનની મિટિંગ યોજાઇ હતી પ્રદેશ માંથી આવેલ ખેડા જિલ્લા ના પુર્વ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ એ કાર્યક્રમ ની રૂપરેખા અંગે માહિતી આપી હતી   સંકલન સમિતિની મિટિંગ માં સાંસદ,રાજપાલસિંહ જાદવ,ડૉ.જસવંત પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ,મહામંત્રી કુલદીપસિંહ સોંલકી, વિધાનસભા ના સરદાર @150 કાર્યક્રમ ના સંયોજક જોડાયા હતા.

ગોધરા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી 23.33 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું...

Image
 પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ ગોધરાના પંડિત દિન દયાળ હોલ ખાતે શિક્ષણમંત્રી ડૉ.કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં 23.33 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું   ગુજરાત સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલા 'વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત 23.33 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું                     આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, નગરપાલિકા પ્રમુખ જયેશભ ચૌહાણ કલેક્ટર આશિષ કુમાર સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગોધરા ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૫ ની ઉજવણી કરાઈ

Image
 ગોધરા ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરાઇ  લાભાર્થીઓને કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ  પંચમહાલ જિલ્લાના ગોધરાના છબનપુર ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.     આ કાર્યક્રમમાં પ્રારંભમાં કૃષિ ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને "પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો જેવા વિષયો અંગે માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના અંદાજીત ૩૦ થી વધુ ખેડૂત લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.    આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, સાંસદ જશવંતસિંહ પરમાર,  રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યો સહિત અધિકારીઓ,પદાધિકારીઓ ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરા, CJI પર હુમલો સહિતની ઘટનાઓ સામે તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી

Image
 ગોધરામાં બાબાસાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામા આવ્યુ  ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર થયેલ હુમલો, હરિયાણાના IPS પુરણકુમાર અપમૃત્યુ કેસ, અને ઉત્તરપ્રદેશ હરિઓમ વાલ્મિકીની હત્યા બાબતે તપાસ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામા આવી  હતો  જાતિવાદ સે આઝાદી મનુવાદ સે આઝાદી ઊંચનીચ સે આઝાદી જાતિવાદ મુર્દાબાદ જાતિવાદ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા SC ST OBC સહિત માયનોરીટી સમાજના લોકો આવેદનપત્ર  આપવામાં સામેલ થયા હતા  બાઈટ:- નરેન્દ્ર પરમાર એડવોકેટ હાઈકોર્ટ

પંચમહાલમાં નરેન્દ્ર મોદીના આહવાન પર આત્મનિર્ભર ભારત અંતર્ગત કાર્યશાળનું આયોજન કરાયું...

Image
 પંચમહાલમાં આત્મ નિર્ભર ભારત અંતર્ગત  ભાજપ ની કાર્યશાળા નું આયોજન કરાયું   હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના અભિયાન ને લોકો સુધી પહોંચાડવા ભાજપ ના કાર્યકર્તાઓ કામે લાગશે   દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન ને લઇ આત્મ નિર્ભર ભારત અંતર્ગત પંચમહાલ ભાજપ ની કાર્યશાળા નું આયોજન કરવામા આવ્યું હતું   આગામી 25સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, ના અભિયાન ને લોકો સુધી પહોંચાડવા ભાજપ ના કાર્યકર્તાઓ કામે લાગશે   સાથે સાથે સ્વદેશી ચીજવસ્તુઓ જ વાપરવા અને સ્વદેશી પણા નો આગ્રહ રાખવા વિવિધ કાર્યક્રમો યોજાશે  આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સાંસદ રાજપાલસિંહ જાદવ,ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં  બાઈટ :-   ભરતભાઈ ડાંગર  પ્રભારી, પંચમહાલ ભાજપ

પંચમહાલના મોરવા હડફ તાલુકામાંથી SOG પોલીસે ફટાકડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો..

Image
 મોરવા હડફ તાલુકાના સાગવાડા ગામમાં ગેરકાયદે ફટાકડાંનો મોટો જથ્થો ઝડપાયો રહેણાંક મકાનમાં લાયસન્સ વગર રાખેલ ફટાકડાંનો 4.37 લાખના મુદ્દામાલ સાથે  એક આરોપીને ઝડપી પાડતી એસ ઓ જી પોલીસ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાગવાડા ગામમાં પોલીસને મોટી સફળતા હાસલ થઈ છે. ઉમરદેવી ફળિયામાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રાખેલા ફટાકડાં નો મોટાપાયે જથ્થો પોલીસે પકડી પાડ્યો  છે.  મળતી માહિતી મુજબ મોરવા હડફ ની પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એસ ઓ જી પોલીસને મળેલ બાતમીના આધારે  સાગવાડા ગામના ઉમરદેવી ફળિયાના ગણપત રૂપા રાવતના રહેણાંક  મકાનમાં ફટાકડાનો મોટો જથ્થો લાયસન્સ વગર રાખવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસને મસમોટો  ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગોધરા નગરપાલિકાના નવા સીમાંકન મુદ્દે વિરોધ દર્શાવી આમ આદમી પાર્ટીએ કલેક્ટરને કરી રજૂઆત

Image
 ગોધરા નગરપાલિકાના નવા સીમાકન મુદ્દે વિરોધ દર્શાવી આમ આદમી પાર્ટીએ કલેક્ટરને કરી રજૂઆત  નવા સીમાકનમાં વોર્ડની રચનામાં વસ્તીનો 10% વધારો/ઘટાડાનો રેશિયો જાળવવામાં આવ્યો નથી  જાહેરનામામાં વોર્ડની રચનાનો ભૌગોલિક નકશો દર્શાવેલ નથી જે પારદર્શિતા માટે અત્યંત આવશ્યક છે.  વોર્ડ નં. 9 ની રચનામાં નદી-નાળા તથા હાઇવે વિસ્તારોનો અસંગત સમાવેશ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે   અનામત તથા બિનઅનામત બેઠકોની ફાળવણીમાં ગંભીર ભૂલો કરવામાં આવીછે 2011ની વસ્તી ગણતરીના આંકડા હોવા છતાં યોગ્ય વિતરણ થયું નથી. નવા સીમાલનના આદેશ (ક્રમ 1 થી 58) નો અભ્યાસ કરતા સ્પષ્ટ થાય છે કે મ્યુનિસિપલ કાયદાઓનું અવલોકન કરવામાં આવ્યું નથી. નગરજનોને પ્રાથમિક સુવિધાઓ અપાવામાં મુશ્કેલીઓ ઊભો થવાની શક્યતા રહેલી છે  આમ નિયમોનું ઉલ્લંઘન થયેલ હોય  નગરજનોની લાગણી છે કે નવા સીમાકન માટે હાલના સભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તથા ભૌગોલિક પરિસ્થિતિ જાણકાર બુદ્ધિજીવીઓની સલાહ લઈને નવી રચના કરવી આવશ્યક છે.તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ રજુઆત કરી હતી

પંચમહાલના ઘોઘંબા GFL કંપનીમાં ગેસ લીકેઝનો મામલો કરોડો રૂપિયાની લેતીદેતી નો પૂર્વ કાયદામંત્રીનો ગંભીર આક્ષેપ

Image
 પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ઝેરી કેમિકલ ગેસ લીકેજનો મામલો                                                                                                                                                                                                                                              20 દિવસના સમયગાળા દરમિયાન બે વખત ગેસ લીકેજની ઘટના...

ગોધરાના સિગ્નલ ફળિયા નાગા તલાવડી વિસ્તારના મકાનો તોડી પાડવામાં આવ્યાં

Image
 ગોધરામાં ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ તોડી પડાયું  સરકારી જમીનમાં કરેલ બાંધકામ પર બુલડોઝર ફેરવાયું સિગ્નલ ફળિયાના નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ના 35 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા  ગોધરા નગરપાલિકા મહેસૂલ વિભાગ માર્ગ અને મકાન વિભાગ  જી ઇ બી ની ટીમની સાથે પોલીસના મોટા કાફલાની હાજરીમાં  બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

ગોધરા નગરપાલિકા સીમાંકનની રચના પશ્ચિમ વિસ્તારનો વોર્ડ ઓછો કરી ભેદભાવની નીતિ અપનાવાઇ ?

Image
 ગોધરા નગરપાલિકાના વોર્ડ સીમાંકનની રચના મુદ્દે કોંગ્રેસે નોધાવ્યો વિરોધ સીમાંકનની રચનામાં ભેદભાવની નીતિ રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો  જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી  ગોધરા નગરપાલિકાના વોર્ડ વિસ્તારમાં તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા નવા સીમાંકનની રચના કરવામાં આવી છે જેને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં  આવ્યો છે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવી છે અને સીમાંકનની રચના ને ભેદભાવની નીતિ રાખી સીમાંકન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ નાના કરી દેવામાં આવ્યા છે અને પશ્ચિમ વિસ્તારના વોર્ડને મોટા કરી દેવામાં આવ્યા છે  પશ્ચિમ વિસ્તારમાં એક વોર્ડ ઓછો કરી દેવામાં આવ્યો છે અને પૂર્વ વિસ્તારમાં એક વોર્ડનો વધારી દેવામાં આવ્યો છે આમ આ સીમાંકનથી પશ્ચિમ વિસ્તારના લોકોને અન્યાય થયેલ હોય જેથી વોર્ડના સીમાંકનની  રચનાને રદ્દ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સીમાંકન રચના રદ્દ કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે 

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ અભિયાન હાથ ધરાશે પ્રવક્તા નિશાંત રાવલે પત્રકાર પરિષદ યોજી

Image
 પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી વિરુદ્ધ સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું  કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી બુથ લેવલ પર જઈ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે  જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારીની અગત્યની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન સિંહ પરમાર સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી